સિંહ 2025 રાશિફળ માં જાણો તમારું ભવિષ્ય અને આ રાશિના લોકોના હાલ

Author: Vijay Pathak | Last Updated: Fri 2 Aug 2024 4:23:56 PM

એસ્ટ્રોકૅમ્પ ના આ લેખ સિંહ 2025 રાશિફળ માં એ બતાવામાં આવ્યું છે કે વર્ષ 2025 માં સિંહ રાશિના લોકોના જીવનમાં કઈ રીતના બદલાવ આવી શકે છે.એની સાથે બધીજ સટીક ભવિષ્યવાણી તમને વાંચવા મળી શકે છે.આ રાશિફળ 2025 પુર્ણ રૂપથી વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને અમારા પ્રખ્યાત અને અનુભવી જ્યોતિષ દ્વારા ગ્રહ-નક્ષત્ર ની ચાલ,સ્થિતિ અને ગ્રહોના ગોચર ના આધારે ગણતરી કરીને તૈયાર કરવામાં આવ્યું છે.ચાલો જાનીએ કે વર્ષ 2025 માં સિંહ રાશિના લોકોના જીવનમાં કઈ રીતના પરિણામ મળી શકે છે.


દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

સિંહ રાશિફળ (Singh 2025 Rashifad) મુજબ આ વર્ષે તમારા જીવનમાં ક્યાં-ક્યાં બદલાવ આવી રહ્યા છે,કેવા-કેવા રહેશે અને કેવું રહેશે તમારું નિજી જીવન અને તમારું વેવસાયિક જીવન.ચાલો હવે આગળ વિસ્તાર થી જાનીએ કે સિંહ રાશિના લોકો માટે આ વર્ષ કેવું સાબિત થશે.

Click here to read in English: Leo 2025 Horoscope

આર્થિક જીવન 

આ વર્ષે સિંહ 2025 રાશિફળ (Singh 2025 Rashifad) ની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2025 આર્થિક રીતે તમારા માટે ઉન્નતિ આપવાવાળું વર્ષ સાબિત થઇ શકે છે.વર્ષ ની શુરુઆત માં રાહુ અષ્ટમ ભાવમાં અને મંગળ દ્રાદશ ભાવમાં રહીને તમારા ખર્ચાને વધારવાનું કામ કરશે પરંતુ મે ના મહિનામાં દેવગુરુ ગુરુ એકાદશ ભાવમાં આવી જશે છતાં રાહુ મહારાજ પણ અષ્ટમ ભાવ માંથી નીકળીને સાતમા ભાવમાં આવી જશે જેનાથી વેવસાયિક લાભ પણ થશે અને બીજા ઘણા પ્રકારના વધારે લાભ થવાનો યોગ બની રહ્યો છે.તમારી આવકમાં વધારો થશે.એક કરતા વધારે જગ્યા એ થી તમને પૈસા નો લાભ થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ માં સુધારો આવશે.પરંતુ માર્ચ ના અંત થી શનિ મહારાજ અષ્ટમ ભાવમાં રહેશે કોઈપણ પ્રકારના કોર્ટ કચેરી ના કામમાં વિવાદ ને કારણે તમને પૈસાના લાભ નો યોગ બની શકે છે.એની સાથેજ અચાનક થી કોઈ પૈસા પ્રાપ્તિ નો યોગ પણ બની શકે છે પરંતુ આ દરમિયાન રોકાણ કરવું નુકશાનકારક હોઈ શકે છે.

हिंदी में यहां पढ़ें- सिंह 2025 राशिफल

આરોગ્ય

આ વર્ષે સિંહ 2025 રાશિફળ મુજબ જો તમારા આરોગ્ય ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત તમારા આરોગ્ય માટે બહુ કમજોર રહેશે.સુર્ય પાંચમા ભાવમાં હશે,શનિ અને શુક્ર સાતમા ભાવમાં,કેતુ બીજા અને રાહુ અષ્ટમ ભાવમાં,છતાં મંગળ દ્રાદશ ભાવમાં હોવાથી આરોગ્ય સમસ્યા બધીજ બાજુથી તમને પરેશાન કરી શકે છે પરંતુ તમે તમારી ઈચ્છા શક્તિ અને રોગ પ્રતિરોધક આવડત ના બળ પર આ બધીજ સમસ્યાઓ થી બચી રહેવામાં સફળ થઇ શકો છો.વર્ષ નો અંત તમારા માટે વધારે અનુકુળ રહેશે કારણકે રાહુ સાતમા ભાવમાં આવી જશે,મંગળ મહારાજ પણ દર્દાષ માંથી નીકળી જશે અને ગુરુ મહારાજ એકાદશ ભાવમાં આવીને તમારી આરોગ્ય સમસ્યાઓ ઓછી કરશે પરંતુ શનિ મહારાજ અષ્ટમ ભાવમાં રહેશે એટલા માટે તમારે તમારા આરોગ્ય પ્રત્ય સાવધાની રાખવી પડશે.નાની સમસ્યા ને નજરઅંદાજ કરવું તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે એટલે તમારે તરતજ સારવાર માટે આગળ વધવુંજ સારું રહેશે.

રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!

કારકિર્દી

આ વર્ષે સિંહ 2025 રાશિફળ (Singh 2025 Rashifad) મુજબ જો તમારી કારકિર્દી ની વાત કરીએ તો નોકરી કરતા લોકોને સારો નફો મળવાનો યોગ બનશે.વર્ષ ની શુરુઆત માં દસમા ભાવ નો સ્વામી શુક્ર મહારાજ સાતમા ભાવમાં શનિ મહારાજ સાથે હશે જે છથા ભાવ નો સ્વામી પણ છે અને દેવગુરુ ગુરુ તમારા દસમા ભાવમાં હશે જેનાથી તમારો અનુભવ તમને સફળતા આપવામાં મદદગાર બનશે એના પછી ગુરુ મહારાજ એકાદશ ભાવમાં આવી જશે અને શનિ મહારાજ અષ્ટમ ભાવમાં આવશે જેનાથી તમારા કાર્યક્ષેત્ર માં તમારી મેહનત વધશે પરંતુ ધીરફે ધીરે એનું પ્રતિકુળ પણ મળશે અને વર્ષ માં છેલ્લે તમને બહુ સારી સફળતા મળશે.વર્ષ ની વચ્ચે કામકાજ માટે તમને યાત્રાઓ કરવાનો મોકો મળશે.વેપાર કરતા લોકો માટે વર્ષ ની શુરુઆત બહુ સારી રહેશે.શનિ અને શુક્ર મહારાજ ની કૃપાથી તમને દુરગામી પરિણામ મળશે જેનાથી વેપારમાં થોડી ચુનોતીઓ,જે સામે આવી રહી હતી હવે એ દુર થઇ જશે અને વેપારમાં ઉન્નતિ મળશે.આ વર્ષે વેપારમાં ખાસ લાભ ના યોગ બની શકે છે.કોઈપણ પ્રકારના કાનુની દાવપેચ થી બચવાની કોશિશ કરો.

શિક્ષણ 

સિંહ રાશિના વિદ્યાર્થી વર્ગ ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત તમારા મારે સારી રહેશે.જે લોકો ડિગ્રી મેળવી રહ્યા છે,એ લોકોને કેમ્પસ સાક્ષરતા માં સફળતા મળી શકે છે અને નોકરી ની પ્રાપ્તિ થઇ શકે છે.પાંચમા ભાવ નો સ્વામી ગુરુ મહારાજ વર્ષ ની શુરુઆત માં દસમા ભાવમાં રહેશે અને એના પછી મે ના મહિનામાં તમારા એકાદશ ભાવમાં આવીને પાંચમા ભાવને પુરી નજર થી જોશે જેનાથી તમને શિક્ષણ માં સારો યોગ બનશે.તમારા મનમાં જ્ઞાન પ્રાપ્તિ ની ઈચ્છા પણ સહજ રીતે જાગશે.વિધા પ્રાપ્તિમાં સફળતા મળશે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ ને આ વર્ષે કઠિન મેહનત કરીને સફળતા મળવાના યોગ બની રહ્યા છે.જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવા માંગો છો તો વર્ષ ના શુરુઆત ના બે મહિના તમારા માટે ઉત્તમ રહેશે.એના પછી પણ તમારી મેહનત સફળતા દેવડાવશે પરંતુ શુરુઆતી મહિનામાં વિદેશ માં જઈને અભ્યાસ કરવાનું સપનું પણ પુરુ થઇ શકે છે.તમારે તમારી એકાગ્રતા ને વધારવી પડશે.

પારિવારિક જીવન 

આ વર્ષે સિંહ 2025 રાશિફળ (Singh 2025 Rashifad) મુજબ વર્ષ 2025 પારિવારિક જીવન માટે શુરુઆત માં બહુ સારું રહેશે.ચોથા ભાવમાં બુધ મહારાજ અને દસમા ભાવમાં દેવગુરુ ગુરુ બિરાજમાન રહેશે જેનાથી પરિવારના સભ્યો પ્રત્ય અંદર અંદર શાંતિ મજબુત થશે.એકબીજા માટે પ્રેમ અને સ્નેહ ની ભાવના બનશે.એકબીજા ની કદર કરશે.શનિ મહારાજ ની નજર વર્ષ ની શુરુઆત માં ચોથા ભાવમાં હોવાના કારણે વચ્ચે વચ્ચે કોઈ વિરોધાભાષ ની સ્થિતિ પણ ઉભી થશે.બીજા ભાવમાં કેતુ મહારાજ વાણી ના કારણે અંદર અંદર થોડી ટકરાવ ઉભી કરી શકે છે પરંતુ મે પછી આ બધીજ સ્થિતિઓ ઓછી થઇ જશે અને અંદર અંદર શાંતિ બની રહેશે.દેવગુરુ ગુરુ નું એકાદશ ભાવમાં રહીને પાંચમા ભાવ,ત્રીજો ભાવ અને સાતમા ભાવને જોવાથી જીવનસાથી,પરિવાર ના સભ્યો,અને બાળક ની વચ્ચે શાંતિ જોવા મળશે.ભાઈ-બહેન સાથે તમારા સબંધ મધુર બની રહેશે અને બાળક ને લગતા સારા સમાચાર મળશે જેનાથી ઘરમાં ખુશાલી આવશે અને પારિવારિક જીવનમાં મજબુતી દેખાશે.

લગ્ન જીવન 

સિંહ રાશિફળ મુજબ જો તમારું લગ્ન જીવન ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત અનુકુળ રહેશે.અંદર અંદર તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે શાંતિ બની રહેશે.એકબીજા ની વાતો ને સમજશો છતાં એને મહત્વ આપશો.પ્રેમ અને રોમાન્સ નો યોગ પણ બનશે.તમે તમારા જીવનસાથી સાથે લાંબી યાત્રાઓ પણ કરશો.માર્ચ ના મહિનામાં શનિ મહારાજ અષ્ટમ ભાવમાં ચાલ્યો જશે,જ્યાં રાહુ મહારાજ બિરાજમાન રહેશે,આનાથી સસુરાલ માં કે તમારા જીવનસાથી ને કષ્ટ થઇ શકે છે.એમને આરોગ્ય સમસ્યા પણ થઇ શકે છે એવામાં એમનું ધ્યાન રાખો.એના પછી મે ના મહિનામાં રાહુ મહારાજ સાતમા ભાવમાં પ્રવેશ કરશે અને દેવગુરુ ગુરુ એકાદશ ભાવમાં સાતમા ભાવ ઉપર નજર નાખશે જેનાથી જીવનસાથી સાથે સબંધ વધારે સારા થશે.અંદર અંદર મધુરતા વધશે અને તમે તમારા સસુરાલ પક્ષ ના લોકોને પણ મદદ કરશો.તમારું લગ્ન જીવન મધુરતા થી આગળ વધવા લાગશે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

પ્રેમ જીવન 

આ વર્ષે સિંહ 2025 રાશિફળ તમારા માટે એ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ 2025 ની શુરુઆત માં તમારા પ્રેમ સંબંધ માટે થોડો કઠિન સમય હોઈ શકે છે કારણકે સુર્ય મહારાજ વર્ષ ની શુરુઆત માં જ તમારા પાંચમા ભાવમાં રહેશે જે તમારા પ્રિયતમ ના મનમાં અહમ ની ભાવના જગાવશે અને સબંધ માં તણાવ વધારી શકે છે પરંતુ સારી વાત એ છે કે મે ના મહિના થી દેવગુરુ ગુરુ એકાદશ ભાવમાં જઈને ઓક્ટોમ્બર સુધી તમારા પાંચમા ભાવમાં જોશે જેનો સ્વામી પણ દેવગુરુ ગુરુ છે જેનાથી પ્રેમ સંબંધ માં પ્રગાઢતા આવશે.અંદર અંદર ના સબંધ મજબુત થશે.પ્રેમ લગ્ન પણ થઇ શકે છે.આ રીતે આ વર્ષ પ્રેમ સબંધો ને નવી ઊંચાઈ સુધી લઇ જશે.એના પછી ઓક્ટોમ્બર થી ડિસેમ્બર ની વચ્ચે દેવગુરુ ગુરુ દ્રાદશ ભાવમાં જશે ત્યારે તમારા જીવનસાથી ને કોઈ ખાસ ઉપલબ્ધી મળી શકે છે પરંતુ એમને થોડા સમય માટે દુર જવું પડી શકે છે,આવામાં ધીરજ રાખો. 

ઉપાય

  • દરરોજ શ્રી આદિત્ય હૃદય સ્ત્રોત નો પાઠ કરો. 
  • શારીરિક સમસ્યાઓ થવાથી લોખંડ ની વસ્તુઓ નું દાન કરો. 
  • વેવસાય સબંધિત સમસ્યાઓ માટે શિવલિંગ પર ખસ નું અત્તર ચડાવો.
  • બધાજ પ્રકારની સફળતા માટે મંગળવાર ના દિવસે હનુમાનજી ને પ્રેમ ભાવ થી કેળા ચડાવો.



તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !



વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

1. 2025 માં સિંહ રાશિનું ભવિષ્ય શું છે?

2025 રાશિફળ મુજબ સિંહ રાશિ વાળા માટે આ વર્ષ બહુ શાનદાર રહેશે.આ દરમિયાન તમારા વેપારમાં પ્રગતિ અને કાર્યક્ષેત્ર માં સફળતા મળશે.

2. સિંહ રાશિની પરેશાની ક્યારે પુરી થશે?

સિંહ રાશિ ઉપર શનિ ની સાડાસાતી 13 જુલાઈ 2034 થી 29 જાન્યુઆરી 2041 સુધી રહેશે.ત્યાં શનિ ની ઢૈયા 29 માર્ચ 2025 થી 3 જુન 2027 સુધી રહેશે.

3. 2025 માં એમ (M) નામ ની રાશિ શું છે?

જે લોકોનું નામ એમ અક્ષર થી ચાલુ થાય છે એમની રાશિ સિંહ હોય છે.સિંહ રાશિના લોકો બહુ જોશીલા સ્વભાવ ના હોય છે અને પોતાના જીવનમાં બહુ ઉત્સાહિત રહે છે.

4. 2025 માં સિંહ રાશિના લોકોના નસીબ માં શું લખેલું છે?

2025 માં સિંહ રાશિના લોકોના જીવનમાં અલગ અલગ મોર્ચે મિશ્રણ પરિણામ મળશે.આ વર્ષે તમારે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવું પડશે.

More from the section: Horoscope