• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

મીન 2025 રાશિફળ માં જાણો તમારું ભવિષ્ય ને આ રાશિના લોકોના હાલ

Author: Vijay Pathak | Last Updated: Mon 12 Aug 2024 2:35:28 PM

એસ્ટ્રોકૅમ્પ દ્વારા રજુ કરવામાં આવેલા આ ખાસ મીન 2025 રાશિફળ (Meen 2025 Rashifad) લેખ માં મીન રાશિના જીવનમાં વર્ષ 2025 દરમિયાન આવનારા બદલાવ વિશે સટીક ભવિષ્યવાણી વાંચવા મળશે.આ રાશિફળ 2025 પુરી રીતે વૈદિક જ્યોતિષ ઉપર આધારિત છે અને આની અંદર વર્ષ 2025 દરમિયાન અલગ અલગ ગ્રહો નક્ષત્ર ની ચાલ,ગ્રહો ની સ્થિતિ અને ગ્રહોના ગોચર ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.આનાથી એ જાણવા મળશે કે વર્ષ 2025 કઈ રીત ની સ્થિતિઓ ને જન્મ આપવાવાળું છે.

મીન 2025 રાશિફળ

દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

મીન રાશિના લોકોને પોતાના નિજી જીવન જેમકે પારિવારિક જીવન,લગ્ન જીવન,પ્રેમ જીવનમાં કઈ રીતના બદલાવ જોવા મળશે,તમારું આરોગ્ય કેવું રહેશે છતાં તમારી કારકિર્દી માં તમને કેવા પરિણામ મળશે,તમારું વેવસાયિક જીવન સંતુલિત રહેશે અથવા તમારે ધ્યાન આપવું પડશે,આર્થિક સ્થિતિ કેવી રહેશે,આ બધીજ વાતો વિશે વિસ્તાર થી જાણવા માટે વાંચતા રહો મીન રાશિફળ (Meen Rashifad) અને જાણી લઈએ કે વર્ષ 2025 મીન રાશિના લોકો માટે શું ભવિષ્યવાણી કરી રહ્યું છે.

Click here to read in English: Pisces 2025 Horoscope

આર્થિક જીવન 

આર્થિક દ્રષ્ટિકોણ થી જોઈએ તો મીન 2025 રાશિફળ તમારા માટે ભવિષ્યવાણી કરી રહ્યું છે કે વર્ષ ની શુરુઆત તો તમારા માટે બહુ કમજોર રેહવાની છે કારણકે શનિ અને શુક્ર જેવા ગ્રહ તમારા દ્રાદશ ભાવમાં બેસીને ખર્ચ વધારશે અને મંગળ મહારાજ પણ દ્રાદશ ભાવમાં નજર નાખીને ખર્ચ વધારવાનું કામ કરશે પરંતુ ત્રીજા ભાવમાં બેઠેલો ગુરુ પોતાની એકાદશ ભાવ ની નજર થી તમારી આર્થિક સ્થિતિ ને મજબુત બનાવા માં પુરી મદદ કરશે અને તમારી આવકમાં વધારા ના સંકેત આપતા રહેશે.માર્ચ ના મહિનામાં શનિ મહારાજ અને એના કરતા પેહલા શુક્ર મહારાજ તમારી રાશિમાં પ્રવેશ કરી જશે જેનાથી આ ખર્ચ ઉપર અમુક હદ સુધી નિયંત્રણ રહેશે પરંતુ મે મહિનામાં રાહુ મહારાજ તમારા દ્રાદશ ભાવમાં જઈને અચાનક ખર્ચ વધારશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.આ વર્ષે તમારે તમારા ખર્ચ ને નિયંત્રણ માં રાખવાજ પડશે નહીતો સમસ્યા મોટી થઇ જશે.વેપાર કરતા લોકોને પણ વર્ષ ના પૂર્વાધ માં ચુનોતીઓ નો સામનો કરવો પડશે જેનાથી અર્થી સ્થિતિ બગડશે.વર્ષ નો ઉત્તરાધ અમુક હદ સુધી સફળતા લાવી શકે છે અને આર્થિક સ્થિતિ ને સારી બનાવી શકે છે.

हिंदी में यहां पढ़ें- मीन 2025 राशिफल

આરોગ્ય

આ વર્ષે મીન 2025 રાશિફળ (Meen 2025 Rashifad) મુજબ આ વર્ષ તમારા આરોગ્ય માટે વધારે અનુકુળ નથી કહેવામાં આવતું કારણકે વર્ષ ની શુરુઆત માં તમારી રાશિમાં રાહુ મહારાજ,સાતમા ભાવમાં કેતુ મહારાજ,દ્રાદશ ભાવમાં શનિ અને શુક્ર મહારાજ છતાં પાંચમા ભાવમાં નીચ રાશિનો થઈને મંગળ મહારાજ બિરાજમાન રહેશે.આ બધીજ ગ્રહ સ્થિતિઓ તમારા સારા આરોગ્ય તરફ ઇસારો નથી કરી રહ્યું.તમારે તમારી શારીરિક સમસ્યાઓ માટે સાવચેત રેહવું જોઈએ અને નાનામાં નાની સમસ્યા સમય રહેતા ડોક્ટર ની સલાહ લઈને ઠીક કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણકે આ નાની નાની સમસ્યાઓ આગળ જઈને મોટી બીમારી નું રૂપ ધારણ કરી શકે છે એટલા માટે તમારે સાવધાન રેહવું પડશે.વર્ષ ના ઉત્તરાધ માં જયારે રાહુ મહારાજ દ્રાદશ ભાવમાં અને કેતુ મહારાજ છથા ભાવમાં આવશે ત્યારે તમારી આરોગ્ય સમસ્યાઓ ને વધારવાનું કામ કરશે એટલા માટે આ વર્ષે તમારે તમારા આરોગ્ય ને નજરઅંદાજ કરવાથી બચવું જોઈએ.જરૂરી હોવાથી તરત જ ડોક્ટર ની સારવાર લેવાથી મોટી સમસ્યાઓ થી બચી શકો છો અને તમારા આરોગ્ય ને ઘણી હદ સુધી ઠીક રાખવામાં સફળ થઇ શકો છો.આ વર્ષે તમને આંખને લગતી સમસ્યાઓ,આંખ માંથી પાણી નીકળવું,બળવું,ઊંઘ ને લગતી સમસ્યાઓ,પગ નો દુખાવો,વગેરે સમસ્યાઓ પરેશાન કરી શકે છે.આના સિવાય ઘણા પ્રકારના સંક્રમણ ની ચપેટ માં આવવાથી બચવું જોઈએ.

રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!

કારકિર્દી

મીન રાશિફળ મુજબ જો તમારી કારકિર્દી ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત નોકરી કરતા લોકો માટે બહુ સારી રેહવાની છે.દસમાં ભાવમાં સુર્ય મહારાજ બેસીને તમને તમારા કાર્યક્ષેત્ર માં મજબુત સ્થિતિ ની સાથે સાથે મોટો હોદ્દો આપી શકે છે.સરકારી નોકરી કરતા લોકોનો રૂતબો વધશે.ગુરુ મહારાજ ની કૃપાથી સહકર્મીઓ નો સહયોગ તમારી સાથે બની રહેશે જેનાથી તમે કાર્યક્ષેત્ર માં મનપસંદ પરિણામ મેળવી શકશો અને તમારું પ્રદશન પણ બહુ સારું રહેશે.માર્ચ માં છેલ્લે જયારે શનિ મહારાજ તમારી રાશિમાં આવી જશે અને ત્યાં દસમા ભાવમાં દસમી નજર નાખશે તો આખું વર્ષ તમારે તમારા કાર્યક્ષેત્ર માં બહુ મેહનત કરવી પડશે જેનાથી તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે.વેપાર કરતા લોકો માટે વર્ષ ની શુરુઆત કમજોર રહેશે.સાતમા ભાવમાં કેતુ મહારાજ ની હાજરી તમારા માટે વધારે સારી નથી પરંતુ ગુરુ મહારાજ ની નજર સાતમા ભાવ ઉપર હોવાથી વેપાર ધીરે-ધીરે ચાલતો રહેશે.તમારે સમજદારી દેખાડવી પડશે.વર્ષ નો ઉત્તરાધ અપેક્ષા મુજબ અનુકૂળ રહેશે,જયારે વેપારમાં ઉન્નતિ નો યોગ બનશે.

શિક્ષણ

આ વર્ષે મીન 2025 રાશિફળ (Meen 2025 Rashifad) મુજબ વિદ્યાર્થી વર્ગ માટે વર્ષ ની શુરુઆત કમજોર છે કારણકે પાંચમા ભાવમાં નીચ રાશિનો થઈને મંગળ મહારાજ બિરાજમાન રહેશે જે તમને પરેશાન કરશે.તમે થોડા જિદ્દી થઇ જશો અને અભ્યાસ માં ધ્યાન ઓછું જશે.તમારી આસપાસ નું વાતાવરણ પણ તમને પીડિત કરી શકે છે એટલા માટે તમારે વારંવાર તમારી એકાગ્રતા વધારવા ઉપર ધ્યાન દેવું પડશે,નહીતો શિક્ષણ માં મનપસંદ પરિણામ મળવામાં સમસ્યા થશે.ઉચ્ચ શિક્ષા મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે વર્ષ ની શુરુઆત સારી રહેશે અને તમને મનપસંદ પરિણામ મળી શકે છે અને અલગ અલગ વિષય માં સફળતા મળવાના યોગ પણ બની રહ્યા છે.જો તમે કોઈ પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો તો ફેબ્રુઆરી પછી નો સમય તમારા માટે ઉપયોગી થઇ શકે છે અને તમારું સિલેકશન કોઈ સારી નોકરીમાં થઇ શકે છે.જો તમે અભ્યાસ માટે વિદેશ જવાની ઈચ્છા રાખો છો તો એના માટે આ સમય વધારે ઉપયોગી બની શકે છે અને આ દરમિયાન પ્રયાસ કરવાથી તમને સફળતા મળી શકે છે.

પારિવારિક જીવન 

મીન રાશિફળ મુજબ વર્ષ ની શુરુઆત પારિવારિક જીવન માટે કમજોર રહેશે.બીજા ભાવ નો સ્વામી મંગળ મહારાજ પાંચમા ભાવમાં નીચ રાશિમાં હશે.તમારી રાશિમાં રાહુ સાતમા ભાવમાં કેતુ અને દસમા ભાવમાં સુર્ય મહારાજ હશે જેનાથી પરિવાર નો માહોલ ઉગ્ર રહેશે.આપસી શાંતિ ની કમી જોવા મળશે અને લોકો એકબીજા નું સમ્માન કરવાની જગ્યા એ પોતાની વાતો ને ઉપર રાખવાનું પસંદ કરશે જેનાથી પરિવારનો માહોલ થોડો ખરાબ રહેશે પરંતુ વર્ષ ના ઉત્તરાધ માં જયારે મે મહિનામાં ગુરુ મહારાજ ચોથા ભાવમાં આવી જશે,મંગળ મહારાજ અને સુર્ય મહારાજ પોતાના સાતમા ભાવમાંથી નીકળી ચુક્યા હશે,ત્યારે આ પરિસ્થિતિઓ માં ઘણી હદ સુધી સુધાર આવી જશે.તમને તમારા ભાઈ-બહેન નો પણ સાનિધ્ય અને પ્રેમ મળશે અને તમે એના માટે ઘણું બધું કરવાની કોશિશ કરશો જેમાં તમે સફળ થશો.પરિવારના વૃદ્ધ સદસ્ય ની આરોગ્ય સમસ્યા તમને વારંવાર પરેશાન કરી શકે છે એટલા માટે એનું ધ્યાન રાખો.

લગ્ન જીવન 

આ વર્ષે મીન 2025 રાશિફળ મુજબ શાદીશુદા લોકો માટે વર્ષ ની શુરુઆત કમજોર રહેશે કારણકે વર્ષ ની શુરુઆત માં રાહુ મહારાજ તમારી રાશિમાં અને કેતુ મહારાજ સાતમા ભાવમાં રહીને લગ્ન જીવન ને બગાડવાની પુરી કોશિશ કરશે.આપસી શાંતિ નહિ રહે,ગલતફેમી વધશે અને એકબીજા ને સમજી નહિ શકો જેનાથી સબંધ માં પરેશાનીઓ વધી શકે છે.દ્રાદશ ભાવમાં વર્ષ ની શુરુઆત માં શનિ અને શુક્ર હશે જે આપસી સબંધો ને વધારે બગાડી શકે છે પરંતુ દેવગુરુ ગુરુ ની નજર સાતમા ભાવ ઉપર રહેવાથી સબંધ ચાલતા રહેશે અને તમે કોશિશ કરશો કે તમારા સબંધ સચવાઈ રહે.પછી સમય બદલશે અને વર્ષ નો ઉત્તરાધ તમારા માટે સારો રહેશે.જયારે કેતુ મે મહિનામાં છથા ભાવમાં ચાલ્યો જશે અને સાતમો ભાવ એનાથી મુક્ત થઇ જશે,ત્યારે ધીમે-ધીમે તમારા સબંધ માં પ્રેમ અને સબંધ ની સમર્પણ ની ભાવના વધશે.તમે એકબીજા ને સમજી શકશો,એકબીજા ની ભુલ ને નજરઅંદાજ કરશો અને પોતાના સબંધ ને સંભાળવાનો પ્રયાસ કરશો,ત્યારે જઈને તમારું લગ્ન જીવન ઠીક થાક થશે અને તમે વર્ષ માં છેલ્લે સારું લગ્ન જીવન વ્યતીત કરશો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

પ્રેમ જીવન 

આ વર્ષે મીન 2025 રાશિફળ એ ભવિષ્યવાણી કરે છે કે તમારા પ્રેમ જીવન માટે વર્ષ ની શુરુઆત બિલકુલ અનુકુળ નથી કારણકે નીચ રાશિમાં થઈને મંગળ મહારાજ પાંચમા ભાવમાં બેસે છે જે તમારા જીવનસાથી ને બહુ ગુસ્સા વાળા બનાવશે.એ વાત-વાત માં ગુસ્સો દેખાડશે અને તમને નીચા દેખાડવાની કોશિશ કરશે આનાથી તમારા આત્મસમ્માન ને ઠેસ પોંહચશે અને તમે એનાથી નારાજ થઇ શકો છો.આ સમય તમારા સબંધ માટે બહુ કમજોર રહેશે.માર્ચ માં છેલ્લે જઈને આમાં થોડી કમી આવશે પરંતુ તમારે ઘણી હદ સુધી ધ્યાન રાખવું પડશે,નહીતો પ્રેમ ની દોરી આસાનીથી તુટી શકે છે.તમારા માટે ઓગષ્ટ થી લઈને ઓક્ટોમ્બર વચ્ચે નો સમય સારો રહેશે.આ દરમિયાન તમારો પ્રેમ પરવાના ચડશે,એકબીજા ની બરાબર દેખભાળ કરશે અને પોતાના સબંધ માં આગળ વધવાનો પ્રયાસ કરશે.આ સમય જ તમારા સબંધ ને પરિપક્વ બનાવશે અને આ દરમિયાન તમે તમારા સબંધ નું મહત્વ પણ સમજશો છતાં તમારા જીવનસાથી ને બરાબર માનસો.

ઉપાય

  • ગુરુવાર ના દિવસે સારી ગુણવતા વાળો પીળો પુખરાજ અથવા સુનહલા પથ્થર તર્જની આંગળીમાં સોનાની વીંટી માં બનાવીને પેહરવો બહુ સારો રહેશે.
  • તમારે શ્રી હનુમાન ચાલીસા નો દરરોજ પાઠ કરવો જોઈએ.
  • શ્રીગણેશ જી ને દુર્વાકાર ચડાવાથી કેતુ જનિત સમસ્યામાં કમી આવશે.
  • નાગકેસર નો છોડ લગાવાથી રાહુના અશુભ પરિણામ માંથી મુક્તિ મળશે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

1. મીન રાશિના લોકો માટે વર્ષ 2025 કેવું રહેશે?

મીન રાશિના લોકો માટે વર્ષ 2025 મિશ્રણ પરિણામ આપશે.જ્યાં ઘણી જગ્યા એ તમને અનુકુળ પરિણામ મળશે ત્યાં ઘણી જગ્યા એ પરેશાની ઉઠાવી પડશે.

2. વર્ષ 2025 માં મીન રાશિના લોકોનું આરોગ્ય કેવું રહેશે?

મીન રાશિફળ (Meen Rashifad) મુજબ આ વર્ષ તમારા આરોગ્ય માટે વધારે અનુકુળ નથી રહેવાનું.

3. વર્ષ 2025 માં મીન રાશિના લોકોનું પ્રેમ જીવન કેવું રહેશે?

 પ્રેમ જીવન માટે વર્ષ ની શુરુઆત થોડી પણ સારી નથી પરંતુ સમય ની સાથે સાથે તમારો સબંધ મજબુત અને ખુશમય બનશે.

More from the section: Horoscope 4007
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2024
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved