• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

વૃશ્ચિક 2025 રાશિફળ માં જાણો તમારું ભવિષ્ય અને આ રાશિના લોકોના હાલ

Author: Vijay Pathak | Last Updated: Fri 2 Aug 2024 4:41:20 PM

એસ્ટ્રોકૅમ્પ ના આ ખાસ લેખ માં વૃશ્ચિક 2025 રાશિફળ દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં આવનારા અલગ અલગ બદલાવ વિશે સટીક ભવિષ્યવાણી આપી રહ્યું છે.આ રાશિફળ 2025 પુરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને વર્ષ 2025 દરમિયાન ગ્રહોની અલગ અલગ ચાલ,ગ્રહોનો ગોચર,ગ્રહ નક્ષત્ર ની સ્થિતિ,વગેરે ની ગણતરી કરીને તૈયાર કરવામાં આવ્યું છે.આ વૃશ્ચિક રાશિફળ 2025 ના લેખમાં આપણે એ જાણીશું કે વર્ષ 2025 દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં અલગ અલગ આયામો માં કઈ રીતના સારા અને ખરાબ પરિણામ જાણવા મળી શકે છે.

વૃશ્ચિક 2025 રાશિફળ

દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

વૃશ્ચિક રાશિફળ મુજબ તમારી વેપાર અને નોકરીમાં શું સ્થિતિ રહેશે,પ્રેમ અને લગ્ન સબંધ કેવા રહેશે,પરિવારના લોકોનો કેવો હાલ રહેશે,તમારું આરોગ્ય કેવું રહેશે અને વિદ્યાર્થીઓ ને કેવા પરિણામ મળશે,આ બધીજ વાતો વિશે ચાલો આપણે આગળ વિસ્તાર થી જાણીએ કે આ રાશિફળ શું ખાસ ભવિષ્યવાણી લઈને આવી રહ્યું છે.

Click here to read in English: Scorpio 2025 Horoscope

આર્થિક જીવન 

જો તમારા આર્થિક જીવન ની વાત કરવામાં આવે તો વૃશ્ચિક 2025 રાશિફળ એ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ ની શુરુઆત તમારા માટે અનુકુળ રહેશે.નિજી પ્રયાસો થી અને કાર્યક્ષેત્ર થી તમને સારો પૈસા નો લાભ થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ માં દરરોજ સુધારો થવાનો યોગ બનશે.શનિ મહારાજ માર્ચ ના અંત માં પાંચમા ભાવમાં પ્રવેશ કરશે.ત્યાંથી એ તમારા એકાદશ ભાવમાં નજર નાખશે જેનાથી તમારી આવકના સાધન માં વધારો થશે.તમારી પાસે કોઈનો કોઈ જરૂર જરિયો બનશે જેનાથી તમારી પાસે આખું વર્ષ પૈસા આવવાનો યોગ બનશે.વર્ષ ની શુરુઆત માં ગુરુ મહારાજ સાતમા ભાવમાં રહીને એકાદશ ભાવને જોશે જે તમારી આર્થિક સ્થિતિ ને મજબુત કરશે.એના પછી મે મહિનામાં એ અષ્ટમ ભાવ થી તમારા બીજા ભાવ ઉપર નજર નાખશે જે એમનો જ ભાવ છે આનાથી તમારી આર્થિક સ્થિતિ અને પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ ને વધારી ને તમારી આર્થિક સ્થિતિ ને મજબુત બનાવશે અને એના પછી ઓક્ટોમ્બર ના મહિનામાં એ તમારા નસીબ સ્થાન માં પોતાની ઉચ્ચ રાશિમાં આવીને પણ તમને સાચા આર્થિક નિર્ણય લેવામાં મદદ કરશે જેનાથી આ વર્ષે તમને આર્થિક રીતે અનુકુળતા આપશે.

हिंदी में यहां पढ़ें- वृश्चिक 2025 राशिफल

આરોગ્ય

આ વર્ષે વૃશ્ચિક 2025 રાશિફળ (Vrishchik 2025 Rashifad) મુજબ આ વર્ષ આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઠીક થાક રેહવાની સંભાવના છે.તો પણ તમારે તમારા આરોગ્ય સમસ્યા ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ.વર્ષ ની શુરુઆત અનુકુળ રહેશે,જયારે તમારી રાશિના સ્વામી નવમા ભાવમાં રહીને સારી સ્થિતિ માં રહેશે અને તમારી રાશિમાં મે સુધી દેવગુરુ ગુરુ ની નજર બની રહેશે.આનાથી તમારી આરોગ્ય સમસ્યા માં કમી આવશે અને તમે તંદુરસ્ત મહેસુસ કરશો.પાંચમા ભાવમાં હાજર રાહુ ક્યારેક ક્યારેક પેટ ની સમસ્યા આપી શકે છે.એના પછી માર્ચના અંતે શનિ મહારાજ તમારા પાંચમા ભાવમાં આવી જશે જેનાથી પેટ અને એની આજુબાજુ ની જગ્યા એ પરેશાની આવી શકે છે એટલે તમારે નિયમિત અને સારા ભોજન ઉપર ધ્યાન આપવું જોઈએ.મે ની વચ્ચે દેવગુરુ ગુરુ અષ્ટમ ભાવમાં આવી જશે ત્યારે તમારે આપવાનો સમય હશે.વસાયુક્ત વસ્તુઓ ના સેવન થી શરીર માં ઘણી સમસ્યાઓ નો સામનો તમારે કરવો પડી શકે છે.ઓક્ટોમ્બર માં ગુરુ મહારાજ તમારા નવમા ભાવમાં આવી જશે જેનાથી આરોગ્યમાં ફરીથી સુધારો થશે પરંતુ ડિસેમ્બર માં વક્રી અવસ્થા માં ગુરુ નું અષ્ટમ ભાવમાં આવવું આરોગ્યને પીડા આપી શકે છે.આ દરમિયાન તમારે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન આપવું પડશે.

રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!

કારકિર્દી

વૃશ્ચિક રાશિફળ મુજબ જો તમારી કારકિર્દી ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત અનુકુળ રહેશે.રાશિ સ્વામી મંગળ મહારાજ નવમા ભાવમાં અને દસમા ભાવના સ્વામી ના રૂપમાં સુર્ય મહારાજ બીજા ભાવમાં હશે જેનાથી નોકરી કરતા લોકોને ખાસ લાભ મળશે.તમે તમારા કાર્યક્ષેત્ર માં મજબુતી થી તમારું પ્રદશન કરી શકશો અને કોઈપણ સમસ્યા તમને પરેશાન નહિ કરે.તમારી નિર્ણય લેવાની આવડત પણ સારી રહેશે જે તમને કાર્યક્ષેત્ર માં સારી આવડત આપી શકે છે.મે મહિનામાં જયારે કેતુ મહારાજ તમારા દસમાં ભાવમાં જશે,ત્યારે તમારે તમારા કાર્યક્ષેત્ર પર ધ્યાન આપવું પડશે કારણકે તમારું મન કામ કામમાં લાગશે જેનાથી કામમાં સમસ્યા થવાની સંભાવના વધી જશે.નોકરી બદલવાની સંભાવના પણ મે પછી વધી શકે છે.વેપાર કરતા લોકો માટે વર્ષ ની શુરુઆત બહુ અનુકુળ રેહવાની છે.ગુરુ મહારાજ ની કૃપાથી તમારો સારા લોકો સાથે વેપાર વધશે જેનાથી તમને લાભ થશે.વર્ષ ના ઉત્તરાધ માં થોડી ચુનોતીઓ સામે આવશે પરંતુ તમે તમારી મેહનત અને વિશ્વાસ ના કારણે કામને મજબુત બનાવી શકશો.વર્ષ ના છેલ્લા મહિના માં થોડી સમસ્યાઓ આવી શકે છે.

શિક્ષણ

આ વર્ષે વૃશ્ચિક 2025 રાશિફળ (Vrishchik 2025 Rashifad) મુજબ વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ઉતાર-ચડાવ થી ભરેલું રહેવાનું છે.પાંચમા ભાવમાં રાહુ મહારાજ ની વર્ષ ની શુરુઆત માં હાજરી તમારી બુદ્ધિ ને તીવ્ર બનાવશે.તમારી સોચ-વિચાર કરવાની આવડત મજબુત થશે.તમે ઓછા સમય માંજ અઘરા માં અઘરી વસ્તુ ને યાદ કરી શકશો અને એને સોલ કરી શકશો.આનાથી તમને અભ્યાસ માં બહુ લાભ થશે.ગુરુ મહારાજ ની દ્રષ્ટિ પેહલા ભાવ ઉપર હોવાથી તમારી બુદ્ધિ નો તીવ્ર વિકાસ થશે.તમારા મનમાં જ્ઞાન પ્રાપ્તિ ની ઈચ્છા પણ રહેશે,જે શિક્ષણ માં તમને સફળતા આપશે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ ને સફળતા મળી શકે છે પરંતુ તમારે આદાહવડી વાતો ને ધ્યાનમાં નહિ લઈને એક લક્ષ્ય બનાવો પડશે અભ્યાસ કરવા માટે.ઉચ્ચ અભ્યાસ મેળવી રહેલા વિદ્યાર્થીઓ ને વર્ષ ની શુરુઆત માં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષનું ઉત્તરાધ તમારા માટે અનુકુળ રહેશે.વિદેશ માં જઈને અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી નું સપનું ફેબ્રુઆરી થી એપ્રિલ મહિના ની વચ્ચે પુરુ થઇ શકે છે.

પારિવારિક જીવન 

વૃશ્ચિક રાશિફળ મુજબ વર્ષ 2025 ની શુરુઆત તમારા પારિવારિક જીવન માટે અનુકુળ રહેશે.શનિ અને શુક્ર મહારાજ તમારા ચોથા ભાવમાં બિરાજમાન રહેશે,બીજા ભાવમાં સુર્ય મહારાજ હશે.તમારા પરિવારમાં વૃદ્ધિ થશે.પરિવારના લોકો આપસી સમજણ અને શાંતિ બહુ સારી હશે જેનાથી તમને પણ કોઈ સમસ્યા નથી થાય.ભાઈ બહેન સાથે તમારા સબંધ મધુર થશે.મે ના મહિનામાં જયારે રાહુ મહારાજ ચોથા મહિનામાં અને મંગળ મહારાજ તમારા દસમા ભાવમાં આવી જશે,ત્યારે ઘરમાં શાંતિ માં કમી આવી શકે છે જેનાથી પરિવારમાં વૃદ્ધ લોકોનું શરીર પણ ખરાબ થઇ શકે છે એટલા માટે એની આરોગ્ય સમસ્યા ઉપર ધ્યાન આપો.એપ્રિલ અને ઓગષ્ટ ના મહિનામાં કોઈ બીમાર થવાની સ્થિતિ બની શકે છે.આનાથી ઉલટું પરિવાર જીવન ઠીક થાક રહેશે.આ વર્ષે પરિવારમાં કોઈના લગ્ન થઇ શકે છે.

લગ્ન જીવન 

આ વર્ષે વૃશ્ચિક 2025 રાશિફળ (Vrishchik 2025 Rashifad) મુજબ જો શાદીશુદા લોકોની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત બહુ અનુકુળ રેહવાની છે.સાતમા ભાવ નો સ્વામી શુક્ર મહારાજ ચોથા સ્થાન માં હશે અને દેવગુરુ ગુરુ સાતમા ભાવ ઉપર હશે છતાં બુધ મહારાજ પેહલા ભાવમાં બેસીને સાતમા ભાવને જોશે.આ બધાજ ગ્રહ સ્થિતિઓ મુજબ લગ્ન જીવનમાં સુંદર પ્રેમ પુષ્પિત અને પલ્લવિત થશે.આપસી શાંતિ દુર થશે.તમે અને તમારા જીવનસાથી એકબીજા ની નજીક આવશો અને આપસી સમસ્યાઓ ને નજરઅંદાજ કરવાની કોશિશ પણ કરશો જેનાથી તમારું લગ્ન જીવન સુખદ થવા લાગશે.એના પછી જયારે મે મહિનામાં ગુરુ મહારાજ અષ્ટમ ભાવમાં આવી જશે,ત્યારે તમારા સસુરાલ ના લોકો સાથે મળવા નો મોકો મળશે.ત્યાં કોઈ નવા મેહમાન નો આવવાનો યોગ બની શકે છે.શનિ મહારાજ માર્ચ ના અંતે તમારા પાંચમા ભાવમાં આવીને સાતમા ભાવ ઉપર નજર નાખશે જેનાથી અવિવાહિત લોકોના લગ્ન નો યોગ બનશે.આ દરમિયાન જીવનસાથી ને ખાસ લાભ થઇ શકે છે.એમની વિચારધારા સ્પષ્ટ થશે જેને સમજવા માટે તમારે પ્રયાસ કરવો પડશે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

પ્રેમ જીવન 

આ વર્ષે વૃશ્ચિક 2025 રાશિફળ એ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ ની શુરુઆત માં તમને તમારા જીવનમાં બહુ ખુશી થશે.પાંચમા ભાવમાં હાજર રાહુ તમને થોડા નિરંકુશ બનાવશે.તમે તમારા પ્રિયતમ માટે ઘણું બધું કરવા માંગશો જેનાથી તમારું પ્રેમ જીવન મજબુત થશે.તમે ઘણી બધી એવી વાત પણ કરશો,જેને બની શકે કે તમે પુરી નહિ કરી શકો.એનાથી તમારા પ્રિયતમ ને ધીરે ધીરે નારાજગી પણ થવા લાગશે પરંતુ તમે નિશ્ચિત રહો બધીજ પરિસ્થિતિ તમારા પક્ષમાંજ રહેશે.એના પછી માર્ચ ના અંત માં શનિ મહારાજ તમારા પાંચમા ભાવમાં આવી જશે અને રાહુ મહારાજ મે મહિનામાં તમારા ચોથા ભાવમાં ચાલ્યો જશે અને મે મહિનામાં ગુરુ મહારાજ જે તમારા પાંચમા ભાવ નો સ્વામી પણ છે એ અષ્ટમ ભાવમાં હશે.એનાથી પ્રેમ જીવનમાં થોડા ઉતાર-ચડાવ આવશે.તમારા પ્યારની પરીક્ષા થશે.તમે તમારા સાથી ઉપર કેટલો વિશ્વાસ રાખો છો એ વાત ની પણ સમય ટેકિકાત કરશે પરંતુ આ બધાની સાથે તમારો સબંધ મજબુત થશે.ઓક્ટોમ્બર ના મહિનામાં જયારે દેવગુરુ ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં કર્ક માં નવમા ભાવમાં આવશે અને ત્યાંથી પાંચમા ભાવને જોશે તો આ સમય તમારા પ્રેમ જીવન ને ઉર્જાવાન બનાવશે.તમે તમારા પ્રિયતમ સાથે તીર્થયાત્રા પર જઈ શકો છો અને સારી જગ્યા એ ફરવા પણ જઈ શકો છો.આનાથી તમારા સબંધ ને વધારે મજબુત બનાવી શકશો.

ઉપાય

  • તમારે શ્રી રામ સ્ત્રોત નો પાઠ કરવો જોઈએ. 
  • દેવગુરુ ગુરુ ના બીજ મંત્ર નો જાપ કરવો તમારા માટે સૌથી વધારે લાભદાયક રહેશે. 
  • મંગળવાર ના દિવસે પોતાના ભાઈને લાલ કલર ની વસ્તુ દાન દેવી પણ તમારા માટે સારું રહેશે. 
  • સોમવાર ના દિવસે શંકર જી નો રુદ્રાભિષેક કરો. 

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

1. 2025 માં વૃશ્ચિક રાશિના લોકોના નસીબમાં શું લખેલું છે?

2025 માં વૃશ્ચિક રાશિના લોકોનું નસીબ સારું રહેશે.આ વર્ષે અધિકાંશ મોર્ચે તમને અનુકુળ પરિણામ મળશે. 

2. 2025 રાશિફળ મુજબ પ્રેમ માં વૃશ્ચિક રાશિના લોકોને કેવા પરિણામ મળશે?

પ્રેમ ના સંદર્ભ માં વૃશ્ચિક રાશિના લોકોને આ વર્ષે બહુ શાનદાર પરિણામ મળવાની સંભાવના છે.આ વર્ષે તમારો પ્રેમ સબંધ મજબુત બનશે. 

3. વૃશ્ચિક રાશિના લોકોની પરેશાની ક્યારે પુરી થશે?

વૃશ્ચિક રાશિ પર સાડાસાતી 28 જાન્યુઆરી 2041 થી 3 ડિસેમ્બર 2049 સુધી રહેશે અને ઢૈયા 29 એપ્રિલ 2022 થી 29 માર્ચ 2025 સુધી રહેશે.

More from the section: Horoscope 3954
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2024
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved